Advertisement
પ્રધાનમંત્રી કુસુમ યોજના દેશના અને રાજ્યના ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સૌર ઊર્જા દ્વારા ચાલતા સોલાર પંપની ખરીદી આ યોજના હેઠળ આપવામાં આવે છે. અને સોલાર ઉર્જાનો ઉપયોગ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા Solar Fencing Yojana બહાર પાડેલી છે. આ ઉપરાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. જેના અંતર્ગત 13 મો હપ્તો તાજેતરમાં આપવામાં આવ્યો.
પીએમ કુસુમ યોજના થકી ડીઝલ દ્વારા ચાલતા પંપનો વપરાશ ઘટે તેવા વિશેષ ઉદ્દેશ્ય સાથે પીએમ કુસુમ યોજના દાખલ કરેલી છે. આ યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીન પર Solar Panel લગાવી શકે છે. પ્રિય વાંચકો, આજે આર્ટિકલ દ્વારા PM KUSUM Scheme in Gujarati વિશે વિગતવાર માહિતી મેળવીશું.
🟢PM કુસુમ યોજનાના ફાયદા
આ યોજનામાં ખેડૂતોને લાભ આપવા માટે વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે:
- ૧. સૌર ઉર્જા પ્લાન્ટની સ્થાપના: આ પહેલ હેઠળ, ૨ મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્લાન્ટની સ્થાપનાને સરળ બનાવવામાં આવી છે, જે કુલ ૧૦,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદનમાં ફાળો આપે છે.
- ૨. એકલ સૌર પંપની સ્થાપના: આ યોજનામાં ૨૦ લાખ એકલ સૌર પંપની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે, જે ખેતીની જમીનને વીજળી અને પાણી પુરવઠા બંને સુવિધાઓ પૂરી પાડે છે.
🟢પીએમ કુસુમ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- બેંક એકાઉન્ટ પાસબુક
- જમીનની વિગતો દર્શાવતી શીટ
- મોબાઇલ નંબર
- સરનામાનો પુરાવો
- પાસપોર્ટ ફોટા
- આવકનું ઉદાહરણ
- સંયુક્ત માલિકી અંગે સંમતિ ફોર્મ જો કોઈ હોય તો
🟢પ્રધાનમંત્રી કુસુમ યોજના ના વિવિધ વિભાગો
- ખેડૂતો પોતાની બિનઉપજાવું જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને કમાણી કરી શકે છે.
- આ વિભાગ હેઠળ ખેડૂતો 25 વર્ષ સુધી સૌર ઉર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપની ને વેચવાની સુવિધા આપે છે.
- આ વિભાગ હેઠળ ખેડૂતોને સોલાર પંપ ખર્ચના 60 ટકા સબસીડી આપવામાં આવે છે.
- આ સબસીડી 75 હો.પા સુધીની મર્યાદામાં આપવામાં આવે છે.
- જંગલ વિસ્તારના ખેડૂતોને GERC ના ધોરણો મુજબ માત્ર ફિક્સ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે.
- આદિજાતિ ના અરજદારોએ કોઈ ફાળો આપવાનો રહેશે નહીં.
- દિવસ દરમિયાન ખેડૂતોને ખેતી કામ માટે પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે.
- સસ્તી અને ગ્રીન એનર્જી થી ખેતરમાં હરિયાળી આવશે અને ખેડૂતોમાં ખુશાલી આવશે.
- આ વિભાગ માં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે.
- જેમાં હયાત ખેતવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપ ના ખર્ચ ની કિંમત 60 ટકા સુધી સબસીડી આપવામાં આવશે.જે 75 હો.પા સુધી મર્યાદિત છે.
🟢આ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ Pm Kusum Yojana ની સત્તાવાર વેબસાઇટ ખોલો
- ત્યાર પછી પોર્ટલ પર લોગીન કરો
- લોગીન કરો એટલે Apply Online નામનો વિકલ્પ દેખાશે.
- તમે Apply Online પર ક્લિક કરશો એટલે તમારી સામે એક રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
- હવે તમારે અરજી ફોર્મ માં બધી જ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે.
- ફોર્મ ભર્યા પછી ખાતરી કરી લો કે બધી માહિતી સાચી છે કે કેમ ત્યાર પછી સબમિટ કરો.
- તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં યુઝર આઈડી અને પાસવર્ડ આવશે આ id password નો ઉપયોગ કરીને તમે pm kusum યોજના નું સ્ટેટસ ચેક કરી શકો છો.
Advertisement
Advertisement
Advertisement
Advertisement
