પીએમ સૂર્ય ઘર યોજના 2026 :ઘરે લગાવો સોલાર અને મેળવો ₹78,000 સુધીની સબસિડી , જુઓ અરજી માટે

સરકારનો હેતુ છે કે વધુમાં વધુ લોકો સોલાર ઊર્જા અપનાવે અને “સ્વચ્છ ઊર્જા” તરફ આગળ વધે. આ યોજના મધ્યમ વર્ગ અને ગ્રામ્ય પરિવારો માટે ખાસ ફાયદાકારક છે. એકવાર સોલાર સિસ્ટમ લગાવી દીધી પછી લાંબા ગાળે વીજળીનો ખર્ચ ખૂબ ઓછો થઈ જાય છે અને કેટલીક પરિસ્થિતિમાં બિલ લગભગ શૂન્ય પણ થઈ શકે છે.

અરજી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન છે, જેથી કોઈ દલાલ કે ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નથી. સબસિડી સીધી DBT દ્વારા તમારા બેંક ખાતામાં જમા થાય છે. જો તમે તમારા ઘરમાં સોલાર પેનલ લગાવવા વિચારી રહ્યા છો, તો આ યોજના તમારા માટે સુવર્ણ તક સાબિત થઈ શકે છે.

🎁આપણ વાંચો : Gujarat Voter List 2026 : નવી મતદાર યાદી તમારું નામ છે કે નહીં? ફક્ત 1 મિનિટમાં ઓનલાઇન ચેક કરી લો

Solar Scheme Apply Online: વીજળી બિલના વધતા ખર્ચ વચ્ચે સોલાર ઊર્જા હવે ઘરઆંગણે સસ્તું અને ટકાઉ વિકલ્પ બની રહી છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ઘર પર સોલાર પેનલ લગાવનાર પરિવારોને સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. 2026માં આ યોજના વધુ લોકપ્રિય બની રહી છે કારણ કે ₹78,000 સુધીની સબસિડી મળવાની ચર્ચા છે. ચાલો સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજીએ.

Table of Contents

🟢Scheme Eligibility

ભારતીય નાગરિકતા: અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
પોતાનું ઘર: જે ઘરમાં સોલાર પેનલ લગાવવાની છે, તે ઘરના માલિક તમે હોવા જોઈએ. ભાડુઆતો સામાન્ય રીતે પાત્ર નથી.
✔છતની ખાલી જગ્યા: ઘરની છત પર પૂરતી ખાલી અને મજબૂત જગ્યા હોવી જોઈએ જ્યાં સોલાર પેનલ્સ લગાવી શકાય.
સ્કોમ કનેક્શન: ઘર પાસે વીજળી વતરણ કંપની (ડિસ્કોમ)નું માન્ય કનેક્શન હોવું જરૂરી છે.
પહેલાંની સબસિડી ન મળી હોય: એ જ ઘરે અગાઉ સોલાર પેનલ માટે કેન્દ્ર સરકારની કોઈપણ સબસિડી મળી ન હોવી જોઈએ.
બેંક ખાતું: સબસિડી લેવા માટે આધાર સાથે જોડાયેલું બેંક ખાતું હોવું જરૂરી છે.

🟢Required Documents

✅આધાર કાર્ડ અથવા ઓળખપત્ર.
✅વીજ બિલ (સામાન્ય નામ મેળવવા માટે).
✅મિલકતનો પુરાવો (જમીન/ઘરનું દસ્તાવેજ).
✅બેંક ખાતાની વિગતો અને કેન્સલ્ડ ચેક.
✅પેન કાર્ડ (વૈકલ્પિક).

🎁આપણ વાંચો : India Post Office Vacancy 2026: ફક્ત ધોરણ10 પાસ પર ભરતી અરજી કરવા માટે જુઓ સંપૂર્ણ માહિતી

🟢Scheme Subsidy Amount

  • 1 kW સિસ્ટમ માટે: ₹30,000
  • 2 kW સિસ્ટમ માટે: ₹60,000 (60% સબસિડી)
  • 3 kW અથવા વધુ માટે: ₹78,000 (2 kW સુધી 60%, વધુ માટે 40%)
  • આ સબસિડી CFA (Central Financial Assistance) હેઠળ મળે છે અને ઇન્સ્ટોલેશન પછી 30 દિવસમાં બેંક ખાતામાં DBT દ્વારા જમા થાય છે. ગુજરાતમાં વધુ રાજ્ય સ્તરના લાભ પણ મળી શકે છે, જેમ કે Surya Gujarat યોજના હેઠળ.

🟢Application process

1️⃣પોર્ટલ પર જાઓ: સૌ પ્રથમ https://pmsuryaghar.gov.in/ અથવા https://www.myscheme.gov.in/ પોર્ટલ પર જાઓ.
2️⃣રજિસ્ટ્રેશન: તમારું રાજ્ય, તમારી ડિસ્કોમ કંપની, ગ્રાહક નંબર (વીજળી બિલ પર છપાયેલો), મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી ભરીને રજિસ્ટર કરો. OTP થી ખાતુ ખુલશે.
3️⃣અરજી ફોર્મ ભરો: લોગિન કર્યા પછી “રૂફટોપ સોલાર માટે અરજી કરો” પર ક્લિક કરો. તમારી વિગતો અને સોલાર પ્લાન્ટની માહિતી સાથે ફોર્મ ભરો.
4️⃣મંજૂરીની રાહ જુઓ: અરજી સબમિટ કર્યા બાદ તમારી ડિસ્કોમ તેની તકનીકી શક્યતા (ફીઝીબિલિટી) તપાસશે અને મંજૂરી આપશે.

🎁આપણ વાંચો : ગુજરાત આંગણવાડી ભરતી 2026: ફક્ત ધોરણ 10 પાસ પર ભરતી જુઓ અરજી માટે


5️⃣રજિસ્ટર્ડ વિક્રેતા પસંદ કરો: મંજૂરી મળ્યા બાદ, પોર્ટલ પરથી કે તમારા ડિસ્કોમ દ્વારા મંજૂર થયેલ રજિસ્ટર્ડ સોલાર ઇન્સ્ટોલર (વેન્ડર) પસંદ કરો અને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો.
ઇન્સ્ટોલેશનની માહિતી આપો: સિસ્ટમ લગાવ્યા બાદ, તેની માહિતી અને રસીદો પોર્ટલ પર અપલોડ કરો. સાથે જ નેટ મીટર માટેની વિનંતી કરો.
નિરીક્ષણ અને પ્રમાણપત્ર: ડિસ્કોમનો અધિકારી આવીને ઇન્સ્ટોલેશન તપાસશે અને કમિશનિંગ પ્રમાણપત્ર આપશે.
સબસિડીની પ્રાપ્તિ: આ બધી પ્રક્રિયા પૂરી થયા બાદ, સબસિડીની રકમ 30 દિવસની અંદર સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top